સુરતમાં નાસિરનગર ડિમોલિશન વિવાદને લઈને હિંદુવાદી નેતા કાજલ હિંદુસ્તાની અને ધારાસભ્ય વિનુ મોરડિયા સામસામે આવી ગયા છે. કાજલ હિંદુસ્તાનીએ આ મુદ્દે વહીવટીતંત્રની કામગીરીને યોગ્ય ગણાવીને તેની સામે સવાલ ઉઠાવનારા ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા છે. તેની સામે વિનુ મોરડિયાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે બહેનને આખી વાતની પૂરેપૂરી જાણકારી લાગતી નથી. અહીં તો નગરપાલિકાએ આખી પ્રક્રિયા યોગ્ય રીતે હાથ કેમ ન ધરી અને કાચુ ક્યાં કાપ્યુ તેની વાત છે. તેઓએ ક્્યાં તો ડિમોલિશન કરવાનું હતું અથવા તો કરવાનું ન હતુ. હવે જા ડિમોલિશન કરવા માટે તેમની પાસે જરૂરી કાયદાકીય સમર્થન જ ન હોય તો પછી તેઓ ડિમોલિશન કઈ રીતે કરી શકે. જા પૂરતું કાયદાકીય સમર્થન હોય તો પછી તો કામ પૂરુ જ કરવુ પડેને. આજે કોર્પોરેશનની આ અધૂરી કાર્યવાહીના કારણે આખો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે.
સુરતના નાસિરનગરમાં ગેરકાયદેસર રીતે તોડી પાડવાનો બનાવ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જ્યારે અગ્રણી હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાની આ વિવાદમાં જાડાયા છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર સુરતના કતારગામના ભાજપ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને નિશાન બનાવતી એક પોસ્ટ શેર કરી છે.
કાજલ હિન્દુસ્તાનીએ બે અલગ-અલગ વીડિયો શેર કરીને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. એક ટ્વિટમાં, તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે સુરત વહીવટીતંત્રે ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે બુલડોઝર ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે ધારાસભ્ય પોતે અતિક્રમણ કરનારાઓના સમર્થનમાં બહાર આવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં લખ્યું છે કે ધારાસભ્ય ફક્ત બુલડોઝર ઓપરેશન કરનારા સરકારી અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જે ખોટું છે. બીજા વીડિયોમાં, કાજલે જમીનના મૂળ માલિક, એક વૃદ્ધ વ્યક્તિનું દુઃખ વ્યક્ત કર્યું, અને દાવો કર્યો કે સરકારે શાળાના નિર્માણ માટે જમીન આપી હતી, પરંતુ તેના બદલે, ત્યાં ૫૦૦ થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા. કાજલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને ધારાસભ્ય વિનુ મોરડિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી.
એક તરફ, ધારાસભ્ય વિનુ મોરડિયા અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં બોલી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ, કાજલ હિન્દુસ્તાની આ કાર્યવાહીને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટેની યોગ્ય પ્રક્રિયા ગણાવી રહ્યા છે. આ સંઘર્ષે રાજકીય ગરમાવો વધાર્યો છે, કારણ કે એક જ પક્ષના નેતા અને અન્ય હિન્દુ નેતા વચ્ચેના આ વિરોધાભાસી વલણને કારણે પણ અધિકારીઓ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે.









































