અમદાવાદની મુલાકાત દરમિયાન, અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરશે. વરિષ્ઠ અધિકારીઓ તેમને શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે માહિતી આપશે. સમીક્ષામાં માળખાગત પ્રોજેક્ટ્સ, ટ્રાફિક વ્યવસ્થાપન અને શહેરી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સંભાવના છે. ગૃહમંત્રી તાજેતરમાં નિયુક્ત ભાજપના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.
૨૯ મેના રોજ, ગૃહમંત્રી અમિત શાહ ભૂજની મુલાકાત લેશે. અહીં, તેઓ સરહદ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે, જેમાં ‘હરામી નાળા’ની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક સ્થિત વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તાર છે અને સુરક્ષા દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગૃહમંત્રી શાહ વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે એકંદર પરિસ્થિતિની ચર્ચા કરવા માટે સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે પણ મુલાકાત કરશે. ગુજરાતની મુલાકાત દરમિયાન, ગૃહમંત્રી વિકાસ અને સુરક્ષા બંને મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગૃહમંત્રી ૨૬ મેના રોજ ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત સાંચુમાં બોર્ડર સિક્્યુરિટી ફોર્સ પોસ્ટની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ આ વિસ્તારમાં તૈનાત બીએસએફ કર્મચારીઓ સાથે વાતચીત કરશે, મુશ્કેલ અને પ્રતિકૂળ પરિÂસ્થતિઓમાં તૈનાત કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા ઓપરેશનલ પડકારો અને જમીની વાસ્તવિકતાઓથી રૂબરૂ થશે.
સુરક્ષા કર્મચારીઓ સાથે વાતચીત કરવા ઉપરાંત, શાહ અનેક કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન પણ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોના રહેવાની અને કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો કરવાનો છે. આ પહેલ સરકારના મનોબળ વધારવા અને પડકારજનક વાતાવરણમાં સેવા આપતા કર્મચારીઓની સુખાકારી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
આ ઉપરાંત ગૃહમંત્રી બિકાનેરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો હેતુ સરહદી જિલ્લાઓમાં એકંદર સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો છે. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજસ્થાન સરકારના પ્રતિનિધિઓ,બીએસએફના ટોચના અધિકારીઓ અને પાંચ સરહદી જિલ્લાઓના વહીવટી અને પોલીસ વડાઓ હાજરી આપશે. આ બેઠકના મુખ્ય વિષયોમાં સંકલન પદ્ધતિઓ, ગુપ્ત માહિતી શેરિંગ અને સરહદ પારના જાખમોનો સામનો કરવા માટેના પગલાં પર ચર્ચા થવાની સંભાવના છે.







































