ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામગીરી વધુ કડક બનતી જઈ રહી છે અને લાંચ લેતા સરકારી કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો સતત સક્રિય દેખાઈ રહી છે. આવી જ એક મોટી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે, જ્યાં તલાટીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો છે.

માહિતી મુજબ, ડીસા તાલુકાના રામપુરા (દામા) ગામમાં ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી કિર્તી પ્રજાપતિએ એક વ્યક્તિ પાસેથી વિકાસ કામોના બિલ પાસ કરવા માટે રૂપિયા ૧૫,૦૦૦ની લાંચની માંગ કરી હતી. ફરિયાદી આ રકમ આપવા તૈયાર નહોતા, તેથી તેમણે સીધો છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.

સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને યોજના બનાવી. ત્યારબાદ, ટ્રેપ ગોઠવીને આરોપીને રંગેહાથે પકડવાની કામગીરી કરવામાં આવી. ફરિયાદી સાથે પૂર્વનક્કી મુજબની પ્રક્રિયા દરમિયાન કિર્તી પ્રજાપતિ લાંચ સ્વીકારતા જ એસીબી ટીમે તેમને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી બાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ  કડક અભિગમ ચાલુ છે અને લાંચ લેતા કર્મચારીઓ માટે હવે જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં વધતી આવી કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે કે, ભ્રષ્ટાચાર સામે લડવા માટે વ્યવસ્થા સજાગ બની રહી છે.