ભારતથી વર્ષ ૨૦૨૬ માટે હજયાત્રા ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શરૂ થવાની છે, જેમાં દેશના વિવિધ પ્રસ્થાન બિંદુઓથી યાત્રાળુઓનો પહેલો જથ્થો સાઉદી અરેબિયા જવા રવાના થશે. કુલ ૧,૭૫,૦૨૫ યાત્રાળુઓ પવિત્ર હજયાત્રાએ જવાની અપેક્ષા છે.
લઘુમતી બાબતોના માનનીય મંત્રી કિરેન રિજિજુએ તમામ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી અને સરળ, સલામત અને આરામદાયક હજ યાત્રા સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ભાર મૂક્્યો કે મંત્રાલયે આ વર્ષે યાત્રાળઓ માટે સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે ઘણી નવી પહેલ કરી છે.
હજ માટે નોડલ મંત્રાલય તરીકે, લઘુમતી બાબતોના મંત્રાલયે ભારતીય હજ સમિતિ, અન્ય કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને સાઉદી સત્તાવાળાઓ સાથે સંકલનમાં વ્યાપક વ્યવસ્થા કરી છે. આ પ્રયાસોનો ઉદ્દેશ યાત્રાળુઓ માટે સરળ લોજિસ્ટિકક્સ અને સુધારેલી જમીન સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે.
હજ ૨૦૨૬ માટે શરૂ કરાયેલી મુખ્ય નવી પહેલોમાં હજ સુવિધા એપ દ્વારા ડિજિટલ ઍક્સેસમાં વધારો, યાત્રાળુઓને શોધવા અને સહાય કરવા માટે હજ સુવિધા સ્માર્ટ રિસ્ટબેન્ડનો ઉપયોગ અને પહેલી વાર, આશરે ૨૦ દિવસના ટૂંકી હજનાં વિકલ્પનો સમાવેશ થાય છે, જે યાત્રાળુઓને વધુ સુગમતા પૂરી પાડે છે. ભારત સરકારે પ્રતિ યાત્રાળુ આશરે ૬,૨૫,૦૦૦નું વીમા કવરેજ પણ સુનિશ્ચિત કર્યું છે, જે યાત્રા દરમિયાન નાણાકીય અને આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે.
વધુમાં, આશરે ૬૦,૦૦૦ યાત્રાળુઓને મક્કા અને મદીના વચ્ચે હાઇ-સ્પીડ ટ્રેન કનેક્વિટીનો લાભ મળશે, જે શહેરો વચ્ચે ઝડપી, સલામત અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. વધુમાં, સાઉદી અરેબિયામાં રહેઠાણ અને પરિવહન સેવાઓ માટે સુધારેલ સંકલન, તબીબી તપાસ અને આરોગ્યસંભાળ સહાયમાં વધારો અને મજબૂત રીઅલ-ટાઇમ દેખરેખ અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓ જેવા પગલાં પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.
હજ ૨૦૨૬ માટે યાત્રાળુઓને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે મદીનામાં હોટેલ-શૈલીના રહેઠાણો ભાડે લેવામાં આવ્યા છે. મુશ્કેલીમુક્ત પ્રસ્થાન સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ પર બો‹ડગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિતિ કરવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
હજ યાત્રા દેશભરના ૧૭ પ્રસ્થાન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવશે, જે પ્રાદેશિક પહોંચ અને કાર્યક્ષમ લોજિસ્ટિકક્સ સુનિશ્ચિત કરશે. આમાં દિલ્હી, મુંબઈ, લખનઉ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ અને શ્રીનગર જેવા અન્ય મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે.
ભારત સરકાર હજ યાત્રાળુઓના કલ્યાણ અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન કાર્યક્ષમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે ગાઢ સંકલન જાળવવામાં આવે છે.
યાત્રાળુઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ આરોગ્ય અને મુસાફરી સલાહ સાથે જ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા તમામ માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરે જેથી સુરક્ષિત અને આધ્યાત્મિક રીતે સંતોષકારક હજ યાત્રા સુનિશ્ચિત થાય છે. કિરેન રિજિજુ પવિત્ર હજ યાત્રા પર નીકળેલા તમામ ૧,૭૫,૦૨૫ યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.











































