કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે ૨૩ રાજકીય પક્ષો અને એક સ્વતંત્ર સાંસદે ભારતના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશ સૂર્યકાંતને સંયુક્ત પત્ર મોકલ્યો છે. આ પત્ર ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા પ્રક્રિયા અને અન્ય ચૂંટણી સંબંધિત મુદ્દાઓને સંબોધિત કરે છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર આ માહિતી શેર કરી છે. આ પત્રમાં, વિપક્ષી ગઠબંધને એસઆઇઆર પાલનના મામલે ન્યાયતંત્રના હસ્તક્ષેપની માંગ કરી છે. વિપક્ષી ગઠબંધને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પરિણામો પ્રભાવિત થઈ રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કર્યું હતું કે ૮ જૂને યોજાયેલી વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ૨૧ વિપક્ષી રાજકીય પક્ષો અને એક સ્વતંત્ર સાંસદે ભાગ લીધો હતો. હવે, ૨૩ રાજકીય પક્ષો અને એક સ્વતંત્ર સાંસદે આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ૮ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં મÂલ્લકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, ઓમર અબ્દુલ્લા અને સુપ્રિયા સુલે જેવા નેતાઓ હાજર હતા. જાકે આમ આદમી પાર્ટી અને દ્રવિડ મુનેત્ર કઝગમ જેવા કેટલાક પક્ષો ગેરહાજર રહ્યા હતા, તેમણે પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠક દરમિયાન, એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઈન્ડિયા એલાયન્સ દર બે મહિને બેઠકો યોજશે. આગામી બેઠક ઓગસ્ટમાં તેલંગાણાના હૈદરાબાદમાં યોજાવાની છે.
ચૂંટણી પંચે લગભગ એક વર્ષ પહેલા મતદાર યાદી ચકાસણી માટે એસઆઇઆર પ્રક્રિયા શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય સાચી મતદાર યાદીઓ સુનિશ્ચિત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવાનો છે. ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં આ પ્રક્રિયાનો પાયલોટ તબક્કો શરૂ થયો હતો. આ કવાયત હેઠળ, દેશભરમાં મતદાર યાદીઓમાંથી આશરે ૬ કરોડ નામો દૂર કરવામાં આવ્યા છે. આ સુધારણા પ્રક્રિયા હજુ પણ ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલુ છે.
એકલા બિહારમાં, ૬૫ લાખ નામો મતદાર યાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સહિત ઘણા વિપક્ષી નેતાઓએ એસઆઇઆર પ્રક્રિયાનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે અનેક પ્રેસ કોન્ફરન્સ યોજી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે એસઆઇઆર પ્રક્રિયા લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના નામ દૂર કરવાનો છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરવા માટે છે કે કોઈ પણ સાચા ભારતીય નાગરિકને મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં ન આવે.
અમિત શાહે એમ પણ કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવશે. જ્યાં લાગુ પડે ત્યાં તેમને દેશમાંથી દેશનિકાલ કરવામાં આવશે. દરમિયાન, તાજેતરના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે
આભાર – નિહારીકા રવિયા ચૂંટણી પંચ પાસે એસઆઇઆર પ્રક્રિયા પૂર્ણ કરવાનો અધિકાર છે. કોર્ટે મતદાર યાદીઓના સુધારા સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓને પણ ફગાવી દીધા. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ચૂંટણી પંચની પ્રક્રિયાને કાનૂની માન્યતા પ્રદાન કરે છે.










































