કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીસને બુધવારે યુડીએફ સરકારમાં મંત્રીઓને પોર્ટફોલિયો ફાળવ્યા. તેમણે નાણા, કાયદો, સામાન્ય વહીવટ અને બંદરો જેવા મુખ્ય વિભાગો જાળવી રાખ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાને નવા મંત્રીમંડળમાં ગૃહ અને વિજિલન્સ જેવા મહત્વપૂર્ણ વિભાગો ઉપરાંત ત્રણ અન્ય વિભાગો સોંપવામાં આવ્યા છે.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા પી.કે. કુન્હાલીકુટ્ટીને ઉદ્યોગ, માહિતી ટેકનોલોજી અને કાપડ સહિત સાત વિભાગો સોંપવામાં આવ્યા છે. કેરળ કોંગ્રેસના પ્રમુખ સની જાસેફને વીજળી અને પર્યાવરણ વિભાગો સોંપવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરનને આરોગ્ય અને દેવસ્વમ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રોઝી એમ. જાન ઉચ્ચ શિક્ષણ વિભાગ સંભાળશે, જ્યારે એ.પી. અનિલ કુમારને જમીન અને મહેસૂલ વિભાગ ફાળવવામાં આવ્યો છે.








































