અંબાજી મંદિરના ભંડારામાં દાનની રોકડની ચોરીનો મામલો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ભંડારાની ગણતરી અને સુરક્ષા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે.જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. ચોરીમાં સંડોવણી સામે આવતા મંદિર ટ્રસ્ટે ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. ઘટના બાદ મંદિર ટ્રસ્ટે ભંડારાની ગણતરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નવી એસઓપી મુજબ હવે ભંડારાની ગણતરી ૨૦થી વધુ સીસીટીવી કેમેરાની સતત નજર હેઠળ કરવામાં આવશે. તમામ સીસીટીવીનું રેકો‹ડગ ઓછામાં ઓછા છ મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈપણ ગેરરીતિની તપાસ સરળતાથી થઈ શકે.
આ ઉપરાંત ભંડારાની કામગીરીમાં જાડાતા તમામ કર્મચારીઓનું મેટલ ડિટેક્ટર દ્વારા ફરજિયાત ચેકિંગ કરવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ડબલ સ્કેનિંગની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. ભંડારાની ગણતરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચાચર ચોક ખાતે આવેલી ન્ઈડ્ઢ સ્ક્રીન પર પ્રક્રિયાનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. અંબાજી મંદિર જેવી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતી જગ્યાએ દાનની ચોરીની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. જાકે, હવે નવી એસઓપી અને સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં આવ્યા બાદ ભક્તોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે જાવું રહ્યું કે આ નવી વ્યવસ્થાઓ માત્ર કાગળ પૂરતી મર્યાદિત રહે છે કે પછી ખરેખર ભંડારાની સુરક્ષા માટે અસરકારક સાબિત થાય છે.








































