પ્રિયંકા ચોપરા જાનાસ એક વૈશ્વિક સ્ટાર છે. તેણીએ અમેરિકન ગાયક નિક જાનાસ સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને માલતી નામની પુત્રી છે. તાજેતરમાં, પ્રિયંકાએ બહુસાંસ્કૃતિક પરિવારમાં પુત્રીના ઉછેર અંગે તેના વિચારો શેર કર્યા. તેણીએ તેના સાંસ્કૃતિક મૂળ સાથે જાડાયેલા રહેવા વિશે વાત કરી.
વોગ અરેબિયા સાથે વાત કરતાં, પ્રિયંકાએ ખુલાસો કર્યો કે તે તેની પુત્રી માલતીને બહુસાંસ્કૃતિક પરિવારમાં ઉછેરી રહી છે. ભારતીય પરંપરાઓ અને અમેરિકન સંસ્કૃતિ ઘરે સહઅસ્તિત્વ ધરાવે છે. તેણીએ કહ્યું કે તે તેની પુત્રીને ભારતીય વારસો જાળવી રાખીને બંને સંસ્કૃતિઓ સાથે જાડાણ સાથે ઉછેરવા માંગે છે.
પ્રિયંકાએ કહ્યું, “હું એક અભિનેત્રી છું. હું મારા પ્લેટફોર્મનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિને યોગ્ય રીતે દર્શાવવા માટે
આભાર – નિહારીકા રવિયા શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. મને ભારત ખૂબ ગમે છે અને હું ખોરાક સહિત ઘણી રીતે સંપૂર્ણપણે ભારતીય છું. પરંતુ આપણે એ પણ સમજવું જાઈએ કે નિકની સાથે અમારો પરિવાર પણ અમેરિકન છે. અમે અમેરિકામાં રહીએ છીએ.”
પ્રિયંકા અને નિકે ડિસેમ્બર ૨૦૧૮ માં જાધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં હિન્દુ અને ખ્રિસ્તી બંને વિધિઓનો સમાવેશ થતો હતો. આ દંપતીએ જાન્યુઆરી ૨૦૨૨ માં તેમની પુત્રી માલતીનું સ્વાગત કર્યું. પ્રિયંકાએ વધુમાં સમજાવ્યું કે નિક જાનાસ ભારતને ખૂબ પ્રેમ કરે છે અને તેનું સન્માન કરે છે. નિક હંમેશા પ્રિયંકાની પ્રાર્થના અને ધાર્મિક સમારોહમાં ભાગ લે છે. આ દંપતી માને છે કે દરેક તહેવાર, પછી ભલે તે હોળી હોય કે થેંક્સગિવિંગ, ભક્તિભાવથી ઉજવવો જાઈએ.
પ્રિયંકા ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ શ્રેણી ‘સિટાડેલ’ ની બીજી સીઝનમાં જાવા મળશે. તે દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પણ જાવા મળશે. તેમાં મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.