કરોડો રૂપિયાના સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડ્ડીએ ૧૮૨ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં ઈડીએ જમીન એનએ કરી આપવાના નામે સુનિયોજીત કૌભાંડ હોવાનું જણાવ્યુ છે. સાથે જ કટકીની રકમ કોને, કેટલા ભાગમાં વહેંચાતી હતી તેની પણ માહિતી ચાર્જશીટમાં રજૂ કરી છે.
ઈડીએ સુરેન્દ્રનગર જમીન કૌભાડમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ઈડીએ જમીન એનએ કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ ગણાવ્યં છે. આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડા. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, દ્ગછ શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એનએ શાખાના કારકુન મયુરસિંહ ગોહિલ સામેલ છે.
સુરેન્દ્રનગરમાં જમીન એનએ કરવામાં રીતસરનો ભાવ બોલાતો હતો. જેના બાદ જિલ્લા કલેક્ટર ૫૦%, નિવાસી અધિક કલેક્ટર ૨૫%, મામલતદાર ૧૦%, નાયબ મામલતદાર ૧૦% અને ક્લાર્કના ૫% રકમની વહેંચણી થતી હતી.
ચાર્જશીટમાં ઈડીએ એ પણ માહિતી આપી કે, આ તમામ કૌભાંડીઓ જમીનન અરજીઓ ઝડપથી આગળ વધારવા માટે તમામનું સુવ્યવસ્થિત આયોજન બનાવ્યું હતું. અરજદાર પાસેથી રૂપિયા ના મળે તો અરજીઓ વિલંબિત કરવી અને કામગીરીને લટકાવી રાખવા માટે પણ થતું ટીમવર્ક સાથે આયોજન કરવામાં આવતું હતું. અરજી નકારવા માટે વિવિધ કારણો અપાતા હતા. કાયદાની આંટીઘૂંટી જેમ કે સ્ટેમ્પ ડ્યુટી, માલિકી સહિતના વાંધાઓ ઉઠાવીને અરજીઓ નકારી કાઢવામાં આવતી.
મયુરસિંહ ગોહિલ ચંદ્રસિંહ મોરી તેમજ જયરાજસિંહ ઝાલા તમામ હિસાબને લગતી વિગતો જાળવી રાખતા. હિસાબ અધિકારીઓ વેચ્યુ વ્હોટ્‌સએપ દ્વારા અને પ્રિન્ટઆઉટ સ્વરૂપે આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમનો વ્યવહાર અધિકારીઓને સોંપવામાં આવતો હતો. ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી વ્યહારનો હિસાબ, ડિજિટલ રેકોર્ડ્‌ઝ સહિતની સામગ્રી જપ્ત કરાઇ હતી. તપાસમાં ૫/૧૨/૨૦૨૪ થી ૨૫/૧૧/૨૦૨૫ દરમિયાન જમા થયેલી લાંચની રકમ ૯.૭૦ કરોડથી વધુ છે.
૧૫૦૦ કરોડથી વધુની જમીન એનએ કરવામાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઇડીએ પહેલાથી જ અટકાયત કરી છે. આ સાથે જ તત્કાલીન સિટી મામલતદાર મયુરભાઇ દવે, કલેક્ટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહની સંડોવણી હોવાને કારણે તેમની સામે પણ ગુનો દાખલ કરાયો છે.