પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે ટીએમસીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું જાહેર કરતા, ભૂતપૂર્વ મંત્રીએ કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વને તેમના નિર્ણયની જાણ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું, “મારી અત્યંત ખરાબ તબિયતને કારણે મેં ટીએમસીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.”
ટીએમસીએ મોટા સંગઠનાત્મક ફેરબદલ કર્યા અને મલિકને નવી કાર્યકારી સમિતિમાં સામેલ કર્યાના થોડા દિવસો પછી જ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. મલ્લિકને મમતા બેનર્જીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમણે એક દાયકા સુધી મમતા સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા. મલ્લિક ૨૦૧૧ થી ૨૦૨૧ સુધી રાજ્યના ખાદ્ય અને પુરવઠા મંત્રી હતા.
જાકે, મલ્લિકને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી. ઓક્ટોબર ૨૦૨૩ માં કથિત રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની રાજકીય કારકિર્દીને મોટો ફટકો પડ્યો. તેમની ધરપકડ બાદ, મલ્લિકે વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને કસ્ટડીમાં રહીને તબીબી તપાસ કરાવી. તેમના રાજીનામા બાદ ચર્ચાઓ તેજ બની છે.