ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરને ભારતની “સ્માર્ટ પાવર”નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે તે માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ લશ્કરી ચોકસાઇ, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક શક્તિનું સંયુક્ત રાષ્ટ્રીયપ્રદર્શન હતું. ઓપરેશન સિંદૂરએ દુશ્મન આતંકવાદી સંગઠનોનો ઊંડો નાશ કર્યો, વર્ષોની વ્યૂહાત્મક વિચારસરણીને તોડી નાખી, અને પછી, ૮૮ કલાક પછી, ઇરાદાપૂર્વક અને વ્યૂહાત્મક રીતે અટકાવવામાં આવ્યું. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના જણાવ્યા મુજબ, ઓપરેશન સિંદૂર એ દર્શાવ્યું કે ભારત જાણે છે કે ક્યારે કયા દળોનો ઉપયોગ કરવો અને ક્યારે લશ્કરી કાર્યવાહીને વ્યૂહાત્મક સફળતામાં રૂપાંતરિત કરવી.
સેના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. વૈશ્વિક અરાજકતા, અવિશ્વાસ અને બદલાતા જાડાણો નવા પડકારો ઉભા કરી રહ્યા છે. એક સમયે એવું માનવામાં આવતું હતું કે વેપાર, સપ્લાય ચેઇન અને ડિજિટલ કનેક્ટિવિટી વિશ્વને સંઘર્ષથી દૂર લઈ જશે, પરંતુ આ જ સાધનોનો ઉપયોગ હવે બળજબરી અને વ્યૂહાત્મક શસ્ત્રો તરીકે થઈ રહ્યો છે.”
સેના ચીફે આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવ પર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું, “પહેલાં, નવી ટેકનોલોજીને પ્રયોગશાળામાંથી યુદ્ધભૂમિ સુધી પહોંચવામાં દાયકાઓ લાગતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા મહિનાઓમાં પૂર્ણ થઈ રહી છે. કૃત્રિમ બુદ્ધિ, સાયબર, ક્વોન્ટમ ટેકનોલોજી, સ્વાયત્ત પ્રણાલીઓ, અવકાશ અને અદ્યતન સામગ્રી યુદ્ધના ભવિષ્યને આકાર આપશે. ભારતે નવી ટેકનોલોજી અપનાવવા સુધી પોતાને મર્યાદિત ન રાખવું જાઈએ, પરંતુ તેને સ્વદેશી રીતે વિકસિત કરીને વિશ્વનું નેતૃત્વ કરવું જાઈએ.”
સેના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “આજની સૌથી મોટી વ્યૂહાત્મક નબળાઈ ફક્ત લશ્કરી શક્તિનો અભાવ નથી, પરંતુ વિદેશી સપ્લાય ચેઇન, મહત્વપૂર્ણ ખનિજા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભરતા છે. આત્મનિર્ભરતા હવે ફક્ત આર્થિક જરૂરિયાત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની આવશ્યકતા છે. ૨૧મી સદીમાં, સુરક્ષા અને સમૃદ્ધિ હવે અલગ મુદ્દાઓ નથી. આધુનિક સંઘર્ષો માત્ર સૈન્ય પર દબાણ લાવતા નથી, પરંતુ ઉદ્યોગ, સંશોધન અને વહીવટી માળખાને પણ અસર કરે છે. તેથી, ભારતે એક સંરક્ષણ ઔદ્યોગિક ક્ષમતા વિકસાવવી જાઈએ જે ફક્ત આત્મનિર્ભર જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પણ હોય.”
પોતાના સંબોધનનું સમાપન કરતા, જનરલ દ્વિવેદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દો ટાંક્યા: “શાંતિ એટલે શક્તિનો અભાવ નહીં. શાંતિ એટલે ક્ષમતા, આત્મવિશ્વાસ અને નિશ્ચયની હાજરી.”






































