દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવે સ્વીકાર્યું કે તેઓ ૧૮ વર્ષમાં આઇપીએલ ટાઇટલ ન જીતવાથી નિરાશ હતા અને આ સિઝનની નિષ્ફળતા માટે તમામ વિભાગોમાં પ્રદર્શનમાં સાતત્યના અભાવને જવાબદાર ઠેરવ્યો. આ સિઝનમાં સાતમી હાર બાદ દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. દિલ્હી અને પંજાબ કિંગ્સ શરૂઆતથી રમી રહેલી બે ટીમો છે જે હજુ સુધી આઇપીએલ જીતી શકી નથી. દિલ્હી ૨૦૨૦ માં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેમને મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વિકેટથી હરાવ્યું હતું. રાવે કહ્યું, “૧૮ વર્ષથી ટાઇટલ ન જીતવું દુઃખદ છે. જ્યારે હું મારા રમતના દિવસો પર નજર કરું છું, ત્યારે હું હંમેશા જીતવા માંગતો હતો. હવે જ્યારે હું વહીવટ અને કોચિંગમાં છું, ત્યારે હું ઘણું શીખી રહ્યો છું. હું કોઈ એક ક્ષેત્ર વિશે વાત કરી શકતો નથી. અમે અલગ અલગ મેચોમાં અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ફળ ગયા. અમે પંજાબ સામે સારા રન બનાવ્યા, પરંતુ કેચ છોડી દીધા. કેટલીક મેચોમાં, બોલરોએ સારું પ્રદર્શન કર્યું, જ્યારે બેટ્સમેન નિષ્ફળ ગયા. મેચ જીતવા માટે, આપણે મહત્વપૂર્ણ ક્ષણોમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે, જે આપણે સતત કરી શક્યા નથી. આ જ કારણ છે કે આપણે હાલમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છીએ.”
કેપ્ટન અક્ષર પટેલ અને સ્પિનર કુલદીપ યાદવના ખરાબ ફોર્મે દિલ્હીની સમસ્યાઓમાં વધારો કર્યો છે. રાવે કહ્યું, “જ્યારે કુલદીપ અને અક્ષર સારા ફોર્મમાં હોય છે, ત્યારે બોલિંગ વધુ મજબૂત બને છે.” જા એક ખેલાડી સારું રમે છે અને બીજા સારું નથી કરતો, તો બોલિંગ વચ્ચેની ઓવરોમાં નબળી પડી જાય છે. આ જ બાબત છે જેની સાથે આપણે હાલમાં સંઘર્ષ કરી રહ્યા છીએ.















































