દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીની હાજરીમાં ભારત અને જાપાન વચ્ચે સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પીએમ મોદીએ તાકાઈચીને પોતાની “સુંદર નાની બહેન” ગણાવતા કહ્યું, “ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે ભારતના પ્રથમ પ્રવાસ પર પ્રધાનમંત્રી સના તાકાઈચીનું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. તેઓ જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન અને એક સ્વપ્નદ્રષ્ટા અને લોકપ્રિય નેતા છે. તેઓ જાપાનના નારા પ્રીફેક્ચરથી આવે છે, જે ભારત-જાપાની સાંચા બૌદ્ધ વારસાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.”
એઆઇ પરના મહત્વપૂર્ણ સંયુક્ત નિવેદનનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “થોડા દિવસો પહેલા જ, જી ૭ સમિટમાં, મેં કહ્યું હતું કે વૈશ્વિક ઉથલપાથલના આજના વાતાવરણમાં પરસ્પર વિશ્વાસ આપણી સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ છે.” તેમણે કહ્યું, “મને ગર્વ છે કે ભારત-જાપાન ભાગીદારી આ કસોટીને પૂર્ણ કરે છે. આજે, ભારત અને જાપાન બંને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંના એક છે. એક મુક્ત, સમૃદ્ધ અને નિયમો-આધારિત ઈન્ડો-પેસિફિક અમારી સહિયારી પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી તાકાઈચી અને હું માનું છું કે ટેકનોલોજી ભાગીદારી આપણા સહયોગનો સૌથી મજબૂત સ્તંભ બનશે.” આ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે, આજે અમે એઆઇ ક્ષેત્રમાં સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જાપાનની ચોકસાઇ ટેકનોલોજી અને ભારતની સોફ્ટવેર ક્ષમતાઓનું સંયોજન વૈશ્વિક એઆઇ વિકાસને નવી ગતિ અને શક્તિ આપશે. આજે, અમે સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેના પ્રથમ સહ-વિકાસ પ્રોજેક્ટ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે રોકાણ ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચે લગભગ ૧૨૦ નવા વ્યાપાર કરારો પર હસ્તાક્ષર થયા છે, જે ભારતમાં ઇં૧૦ બિલિયનથી વધુ જાપાની રોકાણ લાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની વિશાળ સંભાવના અને જાપાનની ગુણવત્તાને જાડીને, બંને દેશો વિશ્વને સસ્તું, વિશ્વસનીય અને આધુનિક આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે આને ભારત-જાપાન સંબંધો માટે એક મોટી સિદ્ધિ ગણાવી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત આગામી ૧૦ વર્ષમાં જાપાનથી ૧૦ ટ્રિલિયન યેન રોકાણ આકર્ષવાનું લક્ષ્ય રાખે છે. તેમનો ઉદ્દેશ ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓની સંખ્યા બમણી કરવાનો પણ છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારાઓએ વ્યવસાય કરવાનું પહેલા કરતા વધુ સરળ બનાવ્યું છે. જાપાની કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા માટે આમંત્રણ આપતા, મોદીએ કહ્યું કે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી મજબૂત બનશે.
રેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જાપાને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે માહિતી આપી હતી કે ભારત-જાપાન બાયોગેસ પહેલ હેઠળ, ભારતમાં ૧૦૦૦ બાયોગેસ અને ઓર્ગેનિક ખાતર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ પહેલ ગામડાઓમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે, ખેડૂતોની આવક વધારશે અને ગ્રામીણ રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ ઉર્જા અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી આ પહેલ ભારતના ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જાપાને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંયુક્ત રોડમેપ વિકસાવ્યો છે. આમાં સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી અને અદ્યતન સામગ્રી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો સમાવેશ થશે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ભવિષ્યની ટેકનોલોજીમાં સહયોગ વધારીને વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે સામનો કરશે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ભાગીદારી બંને દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને હાઇ-ટેક ક્ષેત્રમાં નવી તકોનું સર્જન કરશે.જાપાનના વડા પ્રધાન સના તાકાચી ૧ થી ૩ જુલાઈ દરમિયાન ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ૧૬મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. આ સમિટમાં, બંને દેશો દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક, આર્થિક, તકનીકી અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ ૨૦૨૫ માં ૧૫મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ટોક્યોની મુલાકાત લીધી હતી. આ વાર્ષિક સમિટને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ પ્લેટફોર્મ માનવામાં આવે છે.