બાંગ્લાદેશમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે શનિવારે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. ગુપ્તચર અહેવાલોએ સંસદ ભવન સહિત મહત્વપૂર્ણ સ્થળો પર સંભવિત આતંકવાદી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોલીસ મુખ્યાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગુપ્તચર અહેવાલોના આધારે ચેતવણી જારી કરવામાં આવી છે. તેમણે ચેતવણીને અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત ગણાવી.
બંગાળી દૈનિક પ્રથમ આલોના અહેવાલ મુજબ, પોલીસ મુખ્યાલયના પત્રમાં સંસદ સંકુલ, પૂજા સ્થળો, મનોરંજન સુવિધાઓ, લશ્કરી અને પોલીસ સ્થાપનો પર સંકલિત હુમલાઓની ચેતવણી આપવામાં આવી હતી. શસ્ત્રગારોને પણ સંભવિત લક્ષ્યો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. ડેઇલી સ્ટાર અને અન્ય અખબારોએ અહેવાલ આપ્યો છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના કાર્યકર્તા ઈશ્તીયાક અહેમદ સામી ઉર્ફે અબુ બક્કરની તાજેતરમાં ધરપકડ બાદ આ ચેતવણી જારી કરવામાં આવી હતી. આ વ્યક્તિ પર બે બરતરફ લશ્કરી કર્મચારીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે.