કાઠમંડુ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીના મેયર બાલેન શાહ, જે બાલેન તરીકે જાણીતા છે, તેમને રવિવારે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) એ ૫ માર્ચે યોજાનારી નેપાળની ચૂંટણી સંયુક્ત રીતે લડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.૩૫ વર્ષીય બાલેનને રાતોરાત લાંબી વાટાઘાટો પછી થયેલા સાત-મુદ્દાના કરાર હેઠળ સંસદીય પક્ષના નેતા અને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન, રબી લામિછાને વિસર્જન કરાયેલ પ્રતિનિધિ ગૃહમાં ચોથા ક્રમના સૌથી મોટા પક્ષ, આરએસપીના પ્રમુખ તરીકે ચાલુ રહેશે. કરાર અનુસાર, બાલેન અને તેમનું જૂથ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આરએસપીના ચૂંટણી પ્રતીક, “ઘંટડી” પર ચૂંટણી લડશે. બાલેન તેમની ટીમને આરએસપી સાથે મર્જ કરવા સંમત થયા પછી પાર્ટીનું નામ, ધ્વજ અને પ્રતીક યથાવત રહેશે.કરાર બાદ, લામિછાને કહ્યું કે સર્વસંમતિ વ્યક્તિગત નેતાઓની મહત્વાકાંક્ષાઓ કરતાં રાષ્ટ્રની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવી જાઈએ. તેમણે રવિવારે સવારે ફેસબુક પોસ્ટમાં આ શબ્દો શેર કર્યા. કરારમાં જણાવાયું છે કે બંને પક્ષોએ ભ્રષ્ટાચાર અને કુશાસન સામે યુવા પેઢી દ્વારા શરૂ કરાયેલા આંદોલનની જવાબદારી લીધી છે. તેમણે જનરેશન ઢ વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ પૂર્ણ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.નિરીક્ષકો માને છે કે આ કરાર સપ્ટેમ્બર ચળવળનું નેતૃત્વ કરનાર ઉભરતા યુવા-નેતૃત્વ ધરાવતા રાજકીય દળોને એક કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જેના કારણે કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની સરકારનું પતન થયું.આ કરાર બાદ, મોટી સંખ્યામાં જનરેશન ઝેડ સમર્થકો આરએસપીમાં જાડાવાની અપેક્ષા છે. ઉર્જા અને જળ સંસાધન મંત્રી કુલમન ઘીસિંગના નેતૃત્વમાં નવી રચાયેલી ઉજ્યાલો નેપાળ પાર્ટી , જેણે એકતા અને સહયોગ પર બાલેન સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી છે, તેણે હજુ સુધી ગઠબંધનમાં જાડાવા અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.








































