મુંબઈ પોલીસે મહા વિકાસ આઘાડી (એમવીએ) દ્વારા આજે યોજાનારી રેલીને પરવાનગી નકારી છે. આ રેલી મતદાર યાદીમાં સંભવિત અનિયમિતતાઓ સામે હતી અને તેમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાજ ઠાકરે હાજરી આપવાના હતા.મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે રેલી માટે પરવાનગી આપવામાં આવી નથી. જા પરવાનગી વિના કૂચ યોજાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.દરમિયાન, ભાજપે મતદાર યાદી પર વિપક્ષના વલણ સામે વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે. શનિવારે બપોરે ૧ વાગ્યે ગિરગાંવ ચોપાટી વિસ્તારમાં મૌન કૂચ યોજાશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણના નેતૃત્વમાં આ મૌન કૂચમાં ભાજપના અનેક ધારાસભ્યો પણ ભાગ લેશે.ભાજપનું કહેવું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષ લોકસભા ચૂંટણી જીતી ગયો ત્યારે મતદાર યાદી સાચી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મતદાર યાદીમાં ખામીઓ શોધી કાઢવામાં આવી હતી. આજની રેલી દ્વારા વિપક્ષનો આ દંભ છતી થશે.વર્ષોના રાજકીય વિખવાદ પછી એકબીજાની નજીક આવી રહેલા ઠાકરે બંધુઓ અને પવારે ગુરુવારે મુંબઈમાં એક મોટી સંયુક્ત રેલીની વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક બેઠક યોજી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાન, ખેડૂત અને કામદાર પક્ષના જયંત પાટિલ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજર હતા. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે કહ્યું કે તેમનો પક્ષ આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ તેમણે પોતે કૂચમાં ભાગ લેવા અંગે કોઈ દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી, કારણ કે વ્યક્તિગત નેતાઓ મહત્વપૂર્ણ નથી.









































