જાફરાબાદના વડલી ગામે રહેતી એક મહિલાએ તેના પતિ સામે જ ફરિયાદ નોંધાવી હતી. કંચનબેન દિનેશભાઈ સરવૈયા (ઉ.વ.૩૮)એ પતિ દિનેશભાઈ કાળાભાઈ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર-પાંચ દિવસ પહેલા રાત્રે પતિએ જમવા બાબતે ખોટી શંકાઓ કરી ગાળો આપી હતી. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં શરીરે આડેધડ મુંઢમાર માર્યો હતો.
નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.