અમરેલી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તેમનો ચૂંટણી પ્રવાસ તેજ બનાવી રહ્યા છે અને ટૂંકા સમયમાં વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજે લાઠી તાલુકામાં તેમણે ૧૩ ગામોની મુલાકાત કરી હતી અને લોકસંવાદ કર્યો હતો. જેમાં પ્રથમ અકાળા ગામે રામજી મંદિરે અને અકાળિયા દાદાના દર્શન કરીને પ્રવાસ શરૂ કર્યો હતો. લાઠી વિધાનસભાના ગામડે ગામડે ભરતભાઈ સુતરીયા દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો હતો. અકાળા, હરસુરપુર દેવળીયા, હીરાણા, પીપળવા, આંબરડી, ધ્રુફણીયા, ભટ્ટવદર, ભાલવાવ, શાખપુર, છભાડીયા, તાજપર, નાના રાજકોટ, આસોદર સહિતના ગામડામાં પ્રવાસ યોજાયો હતો. સભા દરમિયાન લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે દરેક ગામડાઓમાં પહેલાંના સમયમાં પાણી પણ પહોંચતું ન હતું અત્યારના સમયે ગામડે ગામડે સૌની યોજનાનું પાણી પહોંચતું કર્યું છે. આપણે સૌએ સાથે મળીને ભરતભાઈ સુતરીયાને દિલ્હી મોકલવાના છે. આ તકે ભરતભાઈ સુતરીયાએ સભા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગામડાના લોકોને જે પણ સમસ્યા હશે તે સમસ્યાનું નિરાકરણ લાવવાનો હું પુરો પ્રયાસ કરીશ. હું પણ તમારી વચ્ચેથી જ આવેલો છુ, હું એક સામાન્ય માણસ છું, પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને અત્યારે મને અહીં સુધી પહોંચાડ્‌યો છે. મને ખબર છે તમારી વેદનાઓ શું છે. ભરતભાઈને લાઠી વિધાનસભાના ગામડાઓમાં જનતાનું સમર્થન મળી રહ્યું છે. દરેક સભામાં દરેક ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જીતુભાઈ ડેર, ઘનશ્યામભાઈ સાવલીયા, રાજુભાઈ ભૂતૈયા, મગનભાઈ કાનાણી, રાકેશભાઈ સોરઠીયા, હિંમતભાઈ રાઠોડ, દકુભાઈ પડસાળા, રોમિત કોટડીયા, ભરતભાઈ પાડા, ચિરાગભાઈ પરમાર, પ્રવીણભાઈ કાકડિયા, ઘનશ્યામભાઈ રાઠોડ, ગામના સરપંચો, ઉપસરપંચો, પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.