તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જાડાશે. કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભ્રાંશુ (તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય) સાથે પણ ફોન પર વાત કરી છે. તેમણે પણ ભાજપમાં જાડાવું જાઈએ.અપહરણ થિયરીને નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી, હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં.” રોય હાલમાં દિલ્હીમાં છે. અગાઉ સોમવારે (૧૭ એપ્રિલ) રાત્રે, રોયના પરિવારે દાવો કર્યો હતો કે તે સાંજથી “ગુમ” હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ. રોયના પરિવારે દાવો કર્યો હતો કે તેમની “માનસિક Âસ્થતિ” સારી નથી અને કોઈ અસ્વસ્થ વ્યÂક્ત પર રાજકારણ ન કરવું જાઈએ. ગુમ થવાના દાવા પર મુકુલ રોયે મંગળવારે સવારે દિલ્હીમાં કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. કોઈ ચોક્કસ એજન્ડા નથી. હું ઘણા વર્ષોથી સંસદ સભ્ય છું. શું હું દિલ્હી ન આવી શકું? અગાઉ પણ હું નિયમિતપણે દિલ્હી આવતો હતો.પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય ૨૦૧૭માં ્‌સ્ઝ્ર નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા હતા. તેમને ભાજપના રાષ્ટÙીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી ટીએમસીમાં પાછા ફર્યા હતા. ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમની ખરાબ તબિયતને ટાંકીને, તેમણે ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.