ઓડિશાના રાજ્ય સજા સમીક્ષા બોર્ડે દારા સિંહની વહેલી મુક્તિ માટેની અરજી ફગાવી દીધી છે. દારા સિંહ ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેઇન્સ અને તેમના બે નાના પુત્રોની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. બોર્ડનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં ૧૭ સપ્ટેમ્બરે યોજાનારી સુનાવણી પહેલા આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકારને દારા સિંહની અકાળ મુક્તિની વિનંતી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. સિંહે ઓડિશાની ૨૦૨૨ની માફી માર્ગદર્શિકા હેઠળ તેમની મુક્તિની વિનંતી કરી હતી.
દારા સિંહ હવે આશરે ૬૭ વર્ષના છે અને તેમણે ૨૬ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. રાજ્ય સજા સમીક્ષા બોર્ડે ૩૧ ઓગસ્ટના રોજ એક ખાસ બેઠકમાં અકાળ મુક્તિની તેમની વિનંતી પર વિચાર કર્યો. બેઠક દરમિયાન, બોર્ડે કેસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બોર્ડે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે જા દારા સિંહને મુક્ત કરવામાં આવે છે, તો તેની સમાજ પર વ્યાપક અસર પડી શકે છે અને સાંપ્રદાયિક તણાવ અથવા અશાંતિ ફેલાઈ શકે છે.
દારા સિંહની મુક્તિ પર વિચાર કરતી વખતે કેઆેંઝર જિલ્લા વહીવટીતંત્રના તાજેતરના અહેવાલ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, ૧૫ ઓગસ્ટના રોજ, દારા સેના સાથે સંકળાયેલા આશરે ૨૦૦ થી ૨૫૦ લોકો કેઆેંઝર જિલ્લા જેલની બહાર એકઠા થયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે આ લોકોએ કથિત રીતે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. બોર્ડે આ રિપોર્ટને પણ પોતાના વિચારણામાં સામેલ કર્યો છે. દારા સિંહની અકાળ મુક્તિની વિનંતીને અગાઉ ઘણી વખત નકારી કાઢવામાં આવી છે. આમાં ૨૦૧૬, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩માં નકારાત્મક નિર્ણયોનો સમાવેશ થાય છે. આ કેસોમાં, તેમની મુક્તિ પર વિચાર કરતી વખતે સાંપ્રદાયિક સંવાદિતા અને સામાજિક શાંતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
દારા સિંહે ૨૦૨૪માં ભારતની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે કોર્ટને ૨૦૨૨ની માફી નીતિ હેઠળ અકાળ મુÂક્ત માટેના તેમના કેસ પર વિચાર કરવા માટે ઓડિશા સરકારને નિર્દેશ આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકારને દારા સિંહની મુક્તિની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. હવે, રાજ્ય સજા સમીક્ષા બોર્ડ દ્વારા મુÂક્તની માંગને નકારી કાઢ્યા પછી, ૧૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની સુનાવણી માટે આ મામલો મહત્વપૂર્ણ બની ગયો છે. બોર્ડે આખરે દારા સિંહની અકાળ મુક્તિની ભલામણ કરી ન હતી. ભવિષ્યની કાર્યવાહી ૧૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં જાહેર કરવામાં આવશે.