અમરેલીમાં આવનાર લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં કાર્યકરોની બેઠક મળી હતી. આ બેઠક શક્તિ કેન્દ્રો દીઠ તાલુકા પંચાયત સીટને ધ્યાને રાખીને યોજવામાં આવી હતી. જેમાં મોદી પરિવાર સભામાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જવા તેમજ સરકારના કરેલા કામોની વાત છેવાડાના લોકો સુધી પહોંચાડવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા કાર્યકર્તાઓને આહ્‌વાન કરવામાં આવ્યુ હતું. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મક્કમ મનથી, અતૂટ વિશ્વાસથી અને પ્રજાની પ્રગતિ થશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બહુમતથી ભવ્ય વિજય થશે તેવી વિજયઘોષણા કરી હતી. આ બેઠકમાં શેડુભાર, મોટા ગોખરવાળા, વિઠ્ઠલપુર ખંભાળિયા, સરંભડા, જાળીયા તેમજ વડેરા ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યા ભાજપના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રાજકીય – સામાજિક આગેવાનો સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટાયેલા આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ બેઠકમાં હાજરી આપી હતી.