ગીર સોમનાથ જિલ્લામાં જે વિસ્તારમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં ૧૦% થી વધુ તફાવત હોય તેવા સ્થળોએ મતદાર જાગૃતિ કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી ‘અવસર રથ’ ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રભાસોત્સવ-૨૪ના કાર્યક્રમમાં સાંજે સહભાગી થવા આવેલા કલેકટરે આ ‘અવસર રથ’નું રામ મંદિર પ્રાંગણમાં નિરીક્ષણ કર્યું હતું.