સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૫ એપ્રિલના રોજ ૫૮મા થર્સ-ડે થોટ્‌ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાનજીભાઈ ભાલાળા, હજીરામાં એલ એન્ડ ટી સાથે ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફેબ્રિકેશનનું કામ કરનાર સેફ એન્જિનિયરિંગ કંપનીના રાજેશભાઈ જે. બોરડે, ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’ના પરિસરનું ડેવલોપમેન્ટ કરનાર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર મનોજભાઈ પી. બાબરીયાએ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. આ પ્રસંગે ગાધકડાથી પધારેલા ગાંધી વિચારવાદી નાથાબાપા દોંગાના સરળ અને ઉમદા વિચારની નોંધ લઈ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.