સૌના પ્રેમ અને આશીર્વાદથી ફરી અમરેલીમાં ખીલશે કમળ

ધારાસભ્ય મહેશ કસવાલા સહિતાના ભાજપના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલાના ગામડાઓમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો ચૂંટણી પ્રવાસ યોજાયો હતો. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ૧૪ – અમરેલી લોકસભા બેઠક પર પ્રચાર પ્રસારે જોર પકડયું છે બધા લોકોની નજર અમરેલી બેઠક પર છે. આ બેઠક પર કોણ મારશે બાજી એ જ સવાલ સૌના મનમાં રમી રહ્યો છે. ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાને લોકોનું સારૂ એવું સમર્થન મળી રહ્યું છે. વડીલોના આશીર્વાદ ભરત સુતરીયાને મળી રહ્યા છે. ગઈકાલે સાવરકુંડલા વિધાનસભાના ૧૩ ગામડાઓમાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો.
જાબાળ, અભરામપરા, દોલતી, નવાગામ, છાપરી, લીખાળા, ઠવી, શેલણા, પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, જુના સાવર, જીરા વિવિધ ગામડાઓમાં કાર્યક્રમ સફળ બન્યો હતો અને દરેક કાર્યક્રમમાં લોકોની હાજરી પણ બહોળી સંખ્યામાં જોવા મળી હતી ‘નાનો માણસ એક કામનો માણસ’ નું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું છે.
ગામડાના લોકોમાં એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું. લોકોએ પણ કહ્યું હતું કે ભાજપ સરકારે અમરેલી લોકસભા માટે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે કે નાનો માણસ જાણે છે કે ગામડાના લોકોને શું જોઈએ છે હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ મધ્યસ્થ કાર્યાલય પણ ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. આ તકે સાવરકુંડલા, લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના માણસો માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભાજપની વિકાસ યાત્રામાં સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન લાલજીભાઈ મોર, રાહુલભાઇ રાદડીયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દિપકભાઈ માલાણી, સાવરકુંડલા શહેરના પ્રભારી સંજયભાઈ રામાણી, ભૂપેન્દ્રભાઈ ખુમાણ, લલિત બાલધા, સાવરકુંડલા તાલુકાના પૂર્વ પ્રમુખ રાઘવભાઈ સાવલિયા, સરપંચો, ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.