લીલીયા ખાતે ઉમિયા મંદિરે રજત જયંતિ મહોત્સવનો તા.૭ થી પ્રારંભ થઇ ગયો છે. તેમાં વિવિધ સમાજના યુવાનો તેમજ સામાજિક સંસ્થાઓ સેવા આપી રહી છે. ત્યારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પણ સેવા આપી રહી છે. ત્યારે અમરેલી તાલુકા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ આ મહોત્સવમાં સેવા આપશે. ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ ધામતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ તેમજ લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.તોમર, ડો.છત્રોલા તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિધપુરા, ડો.સોનાલી રાબડીયા, રંજનબેન સોલંકી તેમજ આરોગ્ય વિભાગની મેલ-ફીમેલ તેમજ સ્ટાફ દ્વારા સ્થળ પર જ મેડિકલ ચેકઅપ કરી સારવાર આપવામાં આવી રહી છે.