ગુજરાતમાં આગામી તા.૭ મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે ૧૪-અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ બાબરા તાલુકાના ૧૮ ગામડાઓમાં સભાઓ ગજવી હતી. જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડાપીઠા, ઊંટવડ, ચરખા, નીલવડા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ પીપરીયા, મોટા દેવળીયા સહિતના ગામોમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ બાબરા તાલુકાના ૧૮ ગામડાઓમાં સભાઓ ગજવી હતી. જામબરવાળા ખાતે આવેલ પડસાલા પરિવારના કુળદેવીના દર્શન કરીને પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ નાનીકુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડાપીઠા સહિતના ૧૮ ગામડાઓ માં જન-જનનું સમર્થન મળી રહ્યું હતું. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પાંચ લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના માનવીઓ સુધી સરકારની તમામ યોજનાઓ મળી રહી હોય ત્યારે નાના માણસોને વધુ યોજનાઓ મળે તે માટે અમે કટિબધ્ધ છીએ. આપણે સૌએ સાથે મળીને ભરતભાઈ સુતરીયાને કમળ રૂપે દિલ્હી પહોંચાડવાના છે ત્યારે અબકી બાર ૪૦૦ કે પારનાં સંકલ્પને સાર્થક કરવા માટે દરેકે મતદાન કરવામાં બાકી ન રહેવું જોઈએ, સૌએ મતદાન કરવું જોઈએ. ગામના લોકોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ભરતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવ્યા હતા. બાબરા તાલુકાના ગામડાઓમાં ભરતભાઈ સુતરીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના ગામડાઓમાં ભરતભાઈ સુતરીયાને જન સમર્થન મળી રહ્યું છે. ભરતભાઈ સુતરીયાની સાથે જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઇ દેત્રોજા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, જીતુભાઈ ડેર, હિતેશભાઈ કલકાણી, મહેશભાઈ ભાયાણી, બીપીનભાઈ રાદડિયા, મનસુખભાઈ પલસાણા, અમરશીભાઈ વાઘેલા, પુનિતભાઈ પલસાણા, સરપંચ અશોકભાઈ અસલાલિયા, સરપંચ વિપુલભાઈ કાછેલા તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.