ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીની બાબરા શહેરમાં જીલ્લા દલિત સમાજનાં આગેવાન અને બાબરા તાલુકાનાં અગ્રણી સોમાભાઈ બગડાનાં નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. બાબાસાહેબની તસવીરને ફૂલહાર કરી જય ભીમનાં નારા લગાવવામાં આવ્યા હતા. એડવોકેટ સુસરા અને મહેશભાઇ ભાયાણી દ્વારા ડો. આંબેડકરને યાદ કરી તેમના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ તકે વકીલ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને બાબરા તાલુકાનાં વિવિધ ગામોમાંથી દલિત સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં