બે દિવસ પહેલા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી અમરેલીના જુના ગરીયા ગામ નજીક આવેલ ખેતરની વાડમાં આગ લાગી છે. જાણ થતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી હતી અને આશરે ૧૫,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પારસભાઈ પરમાર, જયદીપભાઇ ઈસોટીયા, સવજીભાઇ ડાભી, હર્ષપાલસિંહ ગઢવી વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.