અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના યજમાન પદે શિક્ષણ કમિટીના ચેરમેન મનસુખભાઈ બોદર દંપતી રહ્યા હતા. આ પ્રસંગે મનસુખભાઈ ધાનાણી, ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, વલ્લભભાઈ રામાણી, ધર્મેશભાઈ કોલડીયા, મુકેશભાઈ શિરોયા, તમામ રેકટરો, બાંધકામ અને શિક્ષણ કમિટીના સદસ્યો સહિતના હાજર રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમ વલ્લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયુ હતું.