કુંકાવાવ તાલુકાના લાખાપાદર ગામની વાડીએ ૮૦ ફૂટના કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગઈ હોવાનું વડિયા પોલીસ દ્વારા અમરેલી ફાયર કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કૂવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસના અંતે મૃતકનું નામ સુરેશ ચીકારીયા કનાસીયા(ઉ.વ.ર૯) હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. બનાવ હત્યાનો છે કે આપઘાત તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.