સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓએ પોતાના સાથી કર્મચારીના નિધન બાદ અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી એક નવો ચીલો ચાતર્યો હતો. જેમાં સાવરકુંડલા નગરપાલિકા સેનિટેશન વિભાગના સફાઈ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારૂનું અવસાન થતા તેમને શ્રધાંજલિરૂપે સાવરકુંડલા નગરપાલિકા સેનિટેશન વિભાગના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી પોતાનું શ્રમદાન અને સફાઈ અભિયાન કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓએ એક કલાક વધુ શ્રમદાન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કર્મચારીઓની આ કામગીરીને શહેરીજનોએ પણ વખાણી હતી.