સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ ઉજળીયા હનુમાનજી આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક હનુમાન જયંતી મહોત્સવ તેમજ આશ્રમના મહંત વસનદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ પણ ઉજવવામાં આવી હતી. ખડસલી, મેરીયાણા, ગાધકડા, વીજપડી, લીખાળા, છાપરી, ભોકરવા, ચીખલી જેવા ગામના સેવક સમુદાય સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરકાંડના પાઠ તેમજ હવન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આજુબાજુના તમામ ગામના ગ્રામજનો આ ભગીરથ  કાર્યમાં જોડાયા હતા‌ તેમજ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.