વિક્રમ સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ નોમ (૯) બુધવાર તા.૧૭-૪-૨૪ શ્રી રામનવમીના રોજ લુહાર જ્ઞાતિના કુળભૂષણ સંત શ્રી મહાત્મા મૂળદાસજીનો નિર્વાણ દિવસ હતો.
આ પાવન પ્રસંગે સાવરકુંડલામાં ભવ્યાતિભવ્ય શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રામાં લુહાર યુવા ગ્રુપે સંત શ્રી મહાત્મા મૂળદાસજીની પ્રતિમા સાથે જોડાઈ ધન્યતા અનુભવી હતી. આ પાવન પ્રસંગે સાવરકુંડલા તાલુકાના લુહાર પરિવારે હર્ષોલ્લાષ સાથે સંત શ્રી મહાત્મા મૂળદાસજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી, દર્શનનો લાભ લીધો હતો તેમ મયુર રાઠોડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.