સાવરકુંડલા શહેરનાં છેવાડાનાં વિસ્તારોમાં અને જાહેર જગ્યાઓ પર સમગ્ર શિક્ષા અંતર્ગત ક્યારેય પણ શાળાએ ન ગયેલ હોય તેવા તેમજ અધવચ્ચેથી શાળા છોડી ગયેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષ સુધીનાં બાળકો અને બાળકીઓ ફરીથી શાળામાં પ્રવેશ મેળવે તે માટે આવા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દ્વારા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તેમજ ૬ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં.આ કામગીરીમાં પરમાર ભાવનાબેન એમ.એ.આર. એન્ડ વી.ઈ. પ્રાથમિક વિભાગ, જોશી દર્શનાબેન બી.આર.સી ભવન સાવરકુંડલા, રાઠોડ ભારતીબેન પી.એ.આર. એન્ડ વી.ઈ. માધ્યમિક વિભાગ તથા તમામ સ્ટાફ જોડાયા હતા.