અયોધ્યા નગરીમાં રામ ભગવાનના મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે અને ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી રહી છે. સમગ્ર રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારના પ્રતિનિધિઓને આ કળશની જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે રાજુલામાં તા.૨૭ને બુધવાર સાંજે ૯-૦૦ કલાકે ધારનાથ મહાદેવ મંદિરે અયોધ્યા રામ મંદિરથી આવેલ કળશ અને અક્ષત (ચોખા )નું પૂજન અને મહાઆરતીનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાખેલ હોય ત્યારે દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ પોતાના ઘરેથી આરતી લઇ આ મહાઆરતીમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.