બગસરામાં બાળ કેળવણી મંદિર પ્રેરિત સિનિયર સિટીઝન પરિવાર દ્વારા આધ્યાત્મિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. યુવા કથાકાર મેહુલ ઠાકર દ્વારા કથા પારાયણ કરાયુ હતુ.
વૃધ્ધાવસ્થામાં જીવન કેવી રીતે પસાર કરવુ, પરમાત્મા સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ કયો? વગેરે બાબતો વિષે કેળવણી મંદિરના પ્રમુખ ચેતનભાઈ શાહે સમજૂતી આપી હતી. શહેરના ૮૦ કરતા વધારે સિનિયર સિટીઝનોએ આ આધ્યાત્મિક સત્સંગ સભાનો લાભ લીધો હતો.