સાવરકુંડલાના ઘોબા ગામે રહેતી એક પરિણીતા તેના પતિ અને પુત્રો સાથે સુરતથી પિતાના ઘરે આવી હતી. મહિલાનો પુત્ર અગાશી પરથી પડી જતાં પતિએ તેને તું દીકરાનું ધ્યાન રાખતી નથી તેમ કહી પુત્રને લઈ સુરત ખાતે જતો રહ્યો હતો. જેથી લાગી આવતાં મહિલાએ એસિડ પી લીધું હતું. રવિનાબેન પ્રકાશભાઈ ચુડાસમા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, સુરત મુકામેથી તેના પતિ તથા બન્ને દીકરા સાથે કૌટુંબિક કામકાજ અર્થે સાવરકુંડલા ખાતે તેના પિતાના ઘરે આવ્યા હતા. તેનો મોટો દીકરો મનિષ અગાશી ઉપરથી પડી જતા પતિએ તેને ખીજાઈને કહ્યું કે, તું દીકરાનું ધ્યાન રાખતી નથી તેમ કહી બન્ને દીકરાઓને સાથે લઇને સુરત જતા રહ્યા હતા. જેથી તેમને તેના બન્ને દીકરાઓની યાદ આવતી હતી અને આ બાબતે લાગી આવતા પોતાની રીતે એસિડની બોટલમાંથી એક ઘુંટ પી લીધું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ કરી રહ્યા છે.