પેપર ઓડિટ ટ્રેલ સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણી માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ દરમિયાન, કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને સ્પષ્ટ કર્યું કે તે ચૂંટણી માટે નિયંત્રક સત્તા નથી અને બંધારણીય સત્તા ભારતના ચૂંટણી પંચની કામગીરીને નિર્દેશિત કરી શકતી નથી. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું, “અમે ચૂંટણીઓ નિયંત્રિત કરી શકતા નથી જે કોઈ અન્ય બંધારણીય સત્તા (ચૂંટણી પંચ) દ્વારા કરાવવામાં આવે છે.”
જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે તે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરી શકે નહીં. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. એડીઆર તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણના પ્રશ્નોના જવાબમાં કોર્ટે કહ્યું કે જા તમે કોઈ વિચાર પ્રક્રિયા વિશે પૂર્વ ધારણા ધરાવતા હોવ તો અમે તમને મદદ કરી શકીએ નહીં. અમે તમારો વિચાર બદલવા માટે અહીં નથી.સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચ પાસેથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની કામગીરીના કેટલાક પાસાઓ પર સ્પષ્ટતા માગી હતી અને ચૂંટણી પંચના ટોચના અધિકારીને બપોરે ૨ વાગ્યે બોલાવ્યા હતા. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારી કોર્ટના પ્રશ્નોના જવાબ આપવા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટીસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે તેને અમુક પાસાઓ પર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે ઈવીએમ પર વારંવાર પૂછાતા પ્રશ્નો અંગે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા જવાબોમાં થોડી મૂંઝવણ હતી.
બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માગીએ છીએ અને તેથી અમે વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનરને બોલાવવાનું વિચાર્યું.” નીતીશકુમાર વ્યાસ બપોરે ૨ કલાકે. વ્યાસે અગાઉ ઈવીએમની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ઈવીએમના સ્ટોરેજ, ઈવીએમના કંટ્રોલ યુનિટમાં માઈક્રોચિપ અને અન્ય પાસાઓને લગતા કેટલાક મુદ્દાઓને સ્પર્શ્યા જેના સંદર્ભમાં કોર્ટે સ્પષ્ટતા માંગી હતી.  એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે જેના દ્વારા મતદારો જાણી શકે છે કે તેમનો વોટ તે વ્યક્તિને ગયો છે કે જેના માટે તેમણે વોટ આપ્યો છે કે નહીં.