અમરેલી જિલ્લામાં લોકસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે એસપીએ પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી છે.
જે અંતર્ગત લીલીયાના ગુંદરણ ગામના લાલજીભાઈ ઉર્ફે લાલો છગનભાઈ પરમાર (ઉ.વ.૨૮) અવારનવાર ગેરકાયદે પ્રોહિબીશનની પ્રવૃત્તિ આચરતો હોવાથી તેને અમરેલી-ભાવનગર જિલ્લામાંથી છ માસની મુદત માટે હદપાર કરવામાં આવ્યો હતો. આ કામગીરી લીલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર.ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ શિયાળ તથા લીલીયા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.