ગીરગઢડા ગામે આવેલ અનુસુચિત વિસ્તારમાં રહેતાં આશાસ્પદ અનુસુચિત યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ એક હોટલ નજીક નાળાની અંદરથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે આ યુવક છેલ્લા ત્રણ દિવસ ગુમ થયેલ હોય અને તેમનાં પરીવાર દ્વારા શોધખોળ શરૂ હોય આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરીવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા ગીરગઢડા પોલીસ દ્વારા લાશ કબજે કરી પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી છે. ગીરગઢડાનાં અનુસુચિત વિસ્તારમાં રહેતા વાલજીભાઈ રામભાઈ રાઠોડ ઊ.વ ૪૦ ગત તારીખ ૨૩ નાં રોજ કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી જતાં તેનાં પરીવારજનો શોધખોળ કરતાં હતાં.