નોડલ ઓફિસર પીડબલ્યુડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડીનારના સંયુક્ત ઉપક્રમે ૯૨ કોડીનાર (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭૩ થી વધુ દિવ્યાંગજનો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ચૂંંટણી અધિકારી ગીર સોમનાથના પ્રતિનિધિ તરીકે તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્રભાઈ બગથરીયા, તાલુકા શિક્ષણ અધિકારી મનીષભાઈ વાન્ડ્રા, નાયબ તાલુકા વિકાસ અધિકારી વિકાસભાઈ મોરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગીર સોમનાથના સમાજ સુરક્ષા સહાયક તનવીરભાઈ ચાવડા તથા જીવનદીપ સંસ્થાના આરીફભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરવામાં આવી હતી.