મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરમાં એક નવું રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે, જે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં તણાવ વધારી શકે છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ ઉલ્હાસનગરના કુખ્યાત અને મજબૂત નેતા પપ્પુ કલાણીના પરિવાર સાથે હાથ મિલાવ્યા છે.પપ્પુ કલાણી એક કુખ્યાત ગુનેગાર છે. પપ્પુ કલાણી ઉલ્હાસનગરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. કલાણી ઉલ્હાસનગરમાં એક પ્રભાવશાળી રાજકીય પરિવાર છે.પપ્પુ કલાણીના પુત્ર ઓમી કલાણીએ તાજેતરમાં શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેને મળ્યા હતા અને આગામી ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી હતી.આ જાડાણ ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે, કારણ કે ઉલ્હાસનગરમાં ભાજપનો મજબૂત ટેકો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર ઓમી કલાણીને હરાવીને જીત્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે રાજકીય દુશ્મનાવટ જાણીતી છે. હવે જ્યારે શિંદે સેનાએ ભાજપના ‘દુશ્મન’ સાથે હાથ મિલાવ્યા છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મહાયુતિના બે મોટા પક્ષો એકબીજા સામે ચૂંટણી લડશે?ભાજપ પણ ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને આ વિસ્તારના ધારાસભ્ય પણ ભાજપના છે. આવી સ્થિતિમાં, શિંદે સેનાનું કલાણી પરિવાર સાથે આવવાથી ભાજપની રણનીતિ પર જ અસર પડી શકે છે, પરંતુ મહાયુતિમાં પણ સંઘર્ષ પેદા થઈ શકે છે. હવે એ જાવું રસપ્રદ રહેશે કે ભાજપ આ નવા રાજકીય વિકાસ પર કેવી પ્રતિક્રિયા આપે છે?