ભરૂચના અંકલેશ્વરમાં ક વૃધ્ધની કરપીણ હત્યાને પગલે ચકચાર મચી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શંકા છે પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.અંકલેશ્વરમાં આવેલા જના દીવા ગામમાં હત્યાનો આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા શખ્સોએ ૭૨ વર્ષના વૃધ્ધની હત્યા કરી નાંખી હતી. આ અંગે જાણ કરાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વૃધ્ધ પિતા દિકરીના ઘરે રહેવા માટે આવ્યા હતા અને તે વખતે તેમની હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન છે. જાકે પોલીસ વિવિધ અેંગલથી આ બનાવની તપાસ કરી રહી છે.