ગુજરાતમાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતાં રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા ૧૦ હજાર કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે. સાંસદ ભરતભાઈ સુતરીયાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. સરકારે ૧૫ હજાર કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ ખરીદી રવિવાર, તારીખ ૯ નવેમ્બરથી શરૂ થશે, જેથી ખેડૂતોને તાત્કાલિક નાણાકીય રાહત મળી રહે.








































