સુરતમાં ભાજપ ઉમેદવારની નિર્વિરોધ જીત જેવી બનતી ઘટનાઓ મામલે મોટા સમાચાર આવ્યા છે. આવી સ્થિતિથી બચવા માટે નોટાને ઉમેદવાર માનવાની અને નિર્વિરોધ ચૂંટણી થવાથી રોકવાવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. જેના પર સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, નોટાને ઉમેદવાર માનવામાં આવે અને નોટાને સામેના ઉમેદવાર કરતા વધુ વોટ મળે તો ત્યાં ફરીથી ચૂંટણી કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન સુરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વકીલે કહ્યું કે, જા ત્યાં આવી વ્યવસ્થા હોત તો ત્યાં નિર્વિરોધ ચૂંટણી જીતવાની નોબત ન આવી હોત.
નોટા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. જાણીતા મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં કમિશનને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે જા નોટા (ઉપર ન હોય) ને કોઈપણ ઉમેદવાર કરતા વધુ મત મળે છે, તો તે બેઠક પર યોજાયેલી ચૂંટણી રદ કરવામાં કેવી રીતે આવે. સાથે નવી નવી ઉમેદવારી નોંધાવવામાં આવે. પણ સુરતમાં ચૂંટણી યોજવી જાઈએ.
આ અરજીમાં એવો નિયમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે કે જે ઉમેદવારો દ્વારા ઓછા મત મેળવે છે તેમના પર ૫ વર્ષ સુધી તમામ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જાઈએ. ઉપરાંત, નોટાને કાલ્પનિક ઉમેદવાર તરીકે જાવું જાઈએ.સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે શિવ ખેરાની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ અરજી ૨૨ એપ્રિલે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના સંદર્ભમાં કરવામાં આવી છે. ચાર ટેકેદારો ફરી જતા સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના સાક્ષીઓના નામ અને સહીઓમાં ભૂલ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૦ ઉમેદવારો મેદાનમાં હતા. ૨૧ એપ્રિલે ૮ અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. માત્ર ભાજપ ઉમેદવાર પ્યારે લાલ ભારતી બાકી હતા, જેમણે સોમવારે ૨૨ એપ્રિલે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આ રીતે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા.