પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હાજર રહ્યા હતા. કોર્ટે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનને ઠપકો આપતા કહ્યું કે તે પતંજલિ તરફ આંગળી ચીંધી રહી છે, જ્યારે ચાર આંગળીઓ તેમના તરફ ઈશારો કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ મામલામાં આગામી સુનાવણી ૩૦ એપ્રિલે થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એફએમસીજી ભ્રામક જાહેરાતો પણ પ્રકાશિત કરે છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે, જેનાથી ખાસ કરીને શિશુઓ, શાળાએ જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકો કે જેઓ તેમના ઉત્પાદનોનું સેવન કરે છે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાયસન્સ સત્તાવાળાઓને આ કેસમાં પક્ષકાર બનાવવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય મંત્રાલયોને ત્રણ વર્ષ સુધી ગેરમાર્ગે દોરનારી જાહેરાતો પર લેવામાં આવેલી કાર્યવાહી અંગે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના કથિત અનૈતિક આચરણ અંગે ઘણી ફરિયાદો છે.આઇએમએને તેની કથિત અનૈતિક પ્રથાઓ અંગે પણ તેની સ્થિતિ સુધારવાની જરૂર છે, જ્યાં દવાઓ મોંઘી અને બિનજરૂરી હોય છે.
બેન્ચે કહ્યું, ‘કેન્દ્ર સરકારે આ મામલે જાગવું જાઈએ.’ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ગ્રાહક બાબતોના મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયને સહ-પ્રતિવાદી (કેસમાં) તરીકે પૂછપરછ કરી રહી છે. દેશભરના રાજ્ય લાયસન્સીગ સત્તાવાળાઓને પણ પક્ષકારો તરીકે ઉમેરવામાં આવશે અને તેમણે ચોક્કસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
સુપ્રીમ કોર્ટે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે તે પતંજલિ તરફ આંગળી ચીંધી રહ્યો છે, જ્યારે ચાર આંગળીઓ તેની તરફ ઈશારો કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આઇએમએને પૂછ્યું અને કહ્યું કે તમારા ડાક્ટરો પણ એલોપેથિક ક્ષેત્રમાં દવાઓનું સમર્થન કરી રહ્યા છે. જા આ થઈ રહ્યું છે, તો શા માટે અમે તમને પ્રશ્ન ન કરવો જાઈએ?
સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી સુનાવણી ૩૦ એપ્રિલે કરશે. કોર્ટ કહે છે કે તેનો હેતુ કોઈ ચોક્કસ પક્ષ પર હુમલો કરવાનો નથી, તે જાણવું ગ્રાહકો અથવા જનતાના મોટા હિતમાં છે કે તેઓ કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે અને સત્ય જાણવાનો તેમનો અધિકાર છે અને તેઓ શું પગલાં લઈ શકે છે.અગાઉ ૧૯ એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે યોગગુરૂ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં જાહેરમાં માફી માંગવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. સુનાવણી દરમિયાન રામદેવ અને બાલકૃષ્ણ બંને હાજર હતા અને વ્યક્તિગત રીતે સર્વોચ્ચ અદાલતમાં બિનશરતી માફી માંગી હતી.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે તેમની માફી અંગે સંજ્ઞાન લીધું હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે તેણે આ તબક્કે કોઈ છૂટ આપવાનો નિર્ણય લીધો નથી. બેન્ચે બાલકૃષ્ણને કહ્યું હતું કે, ‘તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તમે એલોપથીને અધોગતિ કરી શકતા નથી.’ સાથે જ રામદેવે કોર્ટને કહ્યું હતું કે તેમનો કોઈ પણ પ્રકારે કોર્ટનો અનાદર કરવાનો ઈરાદો નથી. જા કે, બેન્ચે બાલકૃષ્ણને કહ્યું હતું કે તે (પતંજલિ) એટલા નિર્દોષ નથી કે તેમને ખબર ન હોય કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશોમાં શું કહ્યું હતું.