ગત મંગળવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે સાવરકુંડલામાં ગાંધીચોક શેઠ શેરીમાં આવેલા પાશ્વનાથ એપાર્ટમેન્ટમાં બિરાજતા જાગૃત હનુમાનજીના મંદિરે હનુમાનજી મહારાજને શૃંગાર વગેરે કરી હનુમાન ચાલીસાના પાઠ અને પૂજા, આરતી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવભેર હનુમાનજીના ભકતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બટુક ભોજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા અને મોટી સંખ્યામાં શહેરના શ્રદ્ધાળુઓએ ભજન, ભોજનનો લ્હાવો લીધો હતો.