સદ્‌ગુરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૭૨ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ મોતિયાના ઓપરેશન માટે ૨૫ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દર મહિનાના ત્રીજા ગુરુવારે છેલ્લા ૧૨ વર્ષથી યોજાય છે.