આગામી તા.૨૩.૦૪.૨૦૨૪ ને મંગળવારના રોજ હનુમાન જયંતી છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વાહન વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે કેટલાક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. વાહન વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ રહેશે. આ રોડ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવરને ડાયવર્ટ કરવામાં આવી છે. લાઠી-ભુરખીયા-દામનગર રોડને બદલે વૈકલ્પિક રુટ નક્કી કરવામાં આવ્યો છે તેમાં અમરેલી તરફથી લાઠી જતા વાહનોએ વાયા ચિતલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવું. ચાવંડથી અમરેલી તરફ આવતા તમામ ભારે વાહનોએ બાબરા-ચિતલ-અમરેલી રોડ પરથી પસાર
આભાર – નિહારીકા રવિયા થવું. લાઠીથી દામનગર રૂટ પર જતા-આવતા ભારે વાહનોએ પ્રતાપગઢ – ભોરીંગડા-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવા જણાવ્યું છે.