રાજુલા સમસ્ત દરજી જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં લોકડાયરો તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સાધુ-સંતોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સાથે સાથે દાતાઓનું પણ પેન આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ભોજન સમારંભ પણ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન કનુભાઈ સરવૈયા દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં દરજી સમાજના તમામ આગેવાનો હાજર રહ્યાં હતા.